આજથી હજારો વર્ષો પહેલાં આપણા ઋષિમુનિઓ કોઈ શહેર કે ગામ વસવાટ કરવા લાયક છે કે નહીં? અને ખાસ કરીને પોતાનો આશ્રમ કઈ જગ્યાએ અને કેવી રીતે બાંધવો તે અંગેનો નિર્ણય લેતી વખતે અલબત્ત, પોતાના તપોબળનો તો જરૃર ઉપયોગ કરતા જ. સાથે સાથે આ અંગે તેઓના નિર્ણય પર સૌથી વધારે પ્રભાવ રહેતો “વાસ્તુહોરા”નો. વાસ્તુહોરાનું જ્ઞાન એ આપણા પ્રાચીન અને પૂજનીય ઋષિમુનિઓએ પ્રદાન કરેલ શ્રેષ્ઠ વારસો છે.
વાસ્તુહોરા એ નવગ્રહને અને તેઓની જુદી જુદી જગ્યા અને જુદી જુદી દિશાઓ અને બાબતો પરનો પ્રભાવ-અસર દર્શાવતું જ્ઞાન છે. અલબત્ત, આ જ્ઞાન અતિ પ્રાચીન હોવા છતાં પણ આજના સમયમાં પણ એટલું જ ઉપયોગી અને રેલેવન્ટ છે. વાસ્તુહોરાના નિયમોને અવગણીને બનાવેલ મકાન-રહેઠાણમાં રહેવાથી વ્યક્તિએ અનેક સમસ્યા અને પ્રશ્નોનો સામનો કરવો પડે છે. જ્યારે વાસ્તુહોરાનું પ્રાથમિક જ્ઞાન પણ વ્યક્તિને ઘણી સમસ્યાઓથી દૂર રાખે છે. વાસ્તુહોરાને જાણવા પ્રાથમિક બાબત એવી નવગ્રહો, તેઓની જુદી જુદી જગ્યાઓ અને દિશાઓ પરના પ્રભાવ ને જાણવો જોઇએ.
વાસ્તુહોરાના સવિસ્તાર ઉલ્લેખ આપણા પ્રાચીન અને પ્રમાણિત ગ્રંથ “ભૃગુનંદી નાડી”માં જોવા મળે છે. મૂળભૂત રીતે ભૃગુનંદી નાડીચા પ્રશ્નોતરી સ્વરૃપે વાસ્તુહોરાની જાણકારી આપવામાં આવેલ છે. અલબત્ત, પશ્ચિમ અને ઉત્તર ભારતમાં વાસ્તુહોરાની જાણકારી અને જાગૃતિ ઓછી જોવા મળે છે. પરંતુ દક્ષિણ ભારતમાં વાસ્તુહોરાની જાણકારી અને જાગૃતિ વિશેષ જોવા મળે છે. વાસ્તુહોરા જે નવગ્રહ અને દિશાઓ સાથે સંકળાયેલ છે તેના વિશે આપણે વધારે વિચારીએ તો આપણને ખૂબ જ સકારાત્મક ઊર્જા મળે છે.
નવગ્રહો અને તેની દિશાઓ
આકાશમંડળમાં ઘણા બધા ગ્રહો છે, પરંતુ જેને આપણે આપણા જન્મ સાથે જોડીએ છીએ તેવા નવ ગ્રહો જોઈએ. તેમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રાહુ, કેતુ આ નવ ગ્રહો છે. આ દરેક ગ્રહને પોતાની દિશા છે. જે દિશા ઉપર વાસ્તુશાસ્ત્રની રચના થઈ છે અને આ દિશાના આધારે ઘરની અંદર કેવી ઊર્જા આવશે અને અહીંયાં રહેવાવાળી વ્યક્તિ સુખી થશે કે નહીં તેની જાણકારી મળે છે. આ નવ દિશા નીચે પ્રમાણે છે.
* સૂર્ય-પૂર્વ દિશા
* શુક્ર-અગ્નિ ખૂણો
* મંગળ-દક્ષિણ દિશા
* રાહુ-નૈઋર્ત્ય ખૂણો
* શનિ-પશ્ચિમ દિશા
* ચંદ્ર-વાયવ્ય ખૂણો
* બુધ-ઉત્તર દિશા
* ગુરુ-કેતુ-ઈશાન ખૂણો
હવે જે ગ્રહનો પ્રભાવ જે દિશા અને અન્ય બાબતો પર હોય એ દિશામાં તે ગ્રહના શત્રુગ્રહની અસર ઊભી કરે તે રીતે મકાન બાંધકામ કે ગોઠવણી ન કરવી જોઈએ. આવી સ્થિતિ હંમેશાં નકારાત્મક પરિણામ આપતી જોવા મળે છે. દા.ત., ચંદ્ર એ રાહુનો શત્રુગ્રહ છે. એટલે ચંદ્ર એ પાણીનો કારક છે. તેવી રાહુની જગ્યા એટલે કે નૈઋર્ત્ય ખૂણામાં પાણીનો બોર કે અંડરગ્રાઉન્ટ ટેંક ન હોવા જોઈએ. (ઓવરહેડ ટેંક એ જગ્યા પર વજન વધારીને ત્યાં વાઈબ્રેશનને દબાવતાં હોવાને કારણે નૈઋર્ત્ય ખૂણામા ંપાણી માટે ઓવરહેડ ટેંક બનાવી શકાય.) એ જ રીતે શુક્ર એ ચંદ્રનો શત્રુગ્રહ છે. તેથી શુક્રની દિશા એટલે કે અગ્નિ ખૂણામાં પાણીનો બોર કે અંડરગ્રાઉન્ડ ટેંક ન હોવા જોઈએ. તત્ત્વની દૃષ્ટિએ વિચારીએ તો પાણી એટલે કે જળતત્ત્વ અને અગ્નિતત્ત્વ એ વિરોધી તત્ત્વ છે અને બે વિરોધી તત્ત્વનું સંયોજન હંમેશાં હાનિકારક સાબિત થાય છે.આ મુદ્દાને વધારે સારી રીતે સમજવા માટે દરેક ગ્રહનું કારતત્ત્વ કે જે ગ્રહની જે તે બાબતો અને જગ્યા પરના પ્રભાવને જાણીએ.
(૧) સૂર્યઃ સૂર્ય એ આત્માનો કારક છે. સ્વની ઓળખાણ એ સૂર્ય છે. વાસ્તુહોરા પ્રમાણે સૂર્ય વ્યક્તિ (માલિક) અને તેના પુત્રોના ભાગ્યનો કારક છે. ઉપરાંત તે પૂર્વ દિશાનો માલિક છે. જે મકાનની પૂર્વ દિશાની બારી કે બારણાં તૂટેલાં હોય, જર્જરિત હોય તો મકાનમાલિકના અને તેના પુત્રોનો વિકાસ રૃંધાય છે. બારી-બારણાં તૂટેલા અથવા જર્જરિત અવસ્થા રાહુની ઉપસ્થિતિ દર્શાવે છે. રાહુ + સૂર્ય.
(૨) ચંદ્રઃ ચંદ્ર એ મનનો કારક છે. આ ઉપરાંત તે પાણીનો પણ કારક છે. ઘરની સ્ત્રીઓનો પ્રતિનિધિ છે. ચંદ્રની દિશા વાયવ્ય છે. ઘરના વાયવ્ય ખૂણાના બારી-બારણાં ખાસ કરીને જો તે ઘરની ડાબી બાજુ હોય અને જો તે તૂટેલાં હોય તો ઘરની સ્ત્રીઓ માટે તે અશુભ સાબિત થાય છે. ચંદ્ર + રાહુ.
(૩) મંગળઃ મંગળ એ દક્ષિણ દિશાનો માલિક હોવા ઉપરાંત ઘરના પિલર, કોલમ, અગ્નિનો કારક હોવાથી રસોડા પર, ઘરના માલિકના ભાઈઓ અને માલિકના શત્રુઓ પર મંગળનું આધિપત્ય સ્વીકરાયું છે. ઉપરાંત લોહી પર પણ મંગળનો પ્રભાવ રહે છે.
(૪) બુધઃ બુધ ઉત્તર દિશાનો માલિક છે. ઉત્તર દિશાઓ કુબેરની દિશા છે અને બુધ તેનો પ્રતિનિધિ છે. આ ઉપરાંત બુધનો પ્રભાવ મકાનમાલિકના સગાં-સ્નેહી, મિત્રો, સંબંધીઓ વગેરે પર રહે છે. તેઓ માટેના ગેસ્ટરૃમ હોલ વગેરે પર પણ રહે છે. બુધ વ્યક્તિના જ્ઞાન અને ભણતર પર પણ પ્રભાવ રાખે છે. ઉપરાંત બુધનો પ્રભાવ લીલા છોડ, વૃક્ષ ઘાસ વગેરે પર પણ રહે છે.
(૫) ગુરુઃ ગુરુની દિશા ઈશાન ખૂણો છે. ઉપરાંત ગુરુનો પ્રભાવ પૂજારૃમ, વ્યક્તિનું આયુષ્ય, વ્યક્તિનું જ્ઞાન, આધ્યાત્મિક વિકાસ, પુત્ર, વડીલો, ગુરુ-શિક્ષક વગેરે પર જોવા મળે છે.
(૬) શુક્રઃ શુક્રની દિશા અગ્નિ ખૂણો હોઈ રસોડા પર શુક્રનો પ્રભાવ રહે છે. ઉપરાંત પતિ-પત્નીના બેડરૃમ પર પણ શુક્રનો પ્રભાવ રહે છે. શુક્ર એ શૃંગાર તથા મોજશોખનો પણ કારક છે, તેથી ધન-જર-ઝવેરાત, કિંમતી વસ્તુઓ રાખવી હોય તેવી જગા પર શુક્ર ગ્રહનો પ્રભાવ રહે છે. વાસ્તુહોરા પ્રમાણે શુક્ર એ મકાનમાલિકના પત્નીનો ભાગ્યકારક ઉપરાંત પત્નીના આરોગ્ય-માનસિક સ્થિતિ પર પણ પ્રભાવ ધરાવે છે. આ ઉપરાંત પ્લોટમાં ફળાઉ ઝાડ, જેવા કે દાડમ, જમરૃખ, લીંબુ, સીતાફળ વગેરે હોય તો તેના પર પણ શુક્રનો પ્રભાવ રહે છે.
(૭) શનિઃ શનિ પશ્ચિમ દિશા પર તો પ્રભાવ ધરાવે જ છે, પરંતુ શનિ લોખંડનો કારક હોઈ મકાનમાં વપરાતા લોખંડના ગડર તથા બીજા કે જે ઘરના પ્રવેશથી ઘરના મોટા ભાગમાં ફેલાયલ હોય તેના પર પ્રભાવ ધરાવે છે. આ ઉપરાંત કચરાપેટી-એઠવાડની જગ્યા વગેરે પર પણ શનિનો પ્રભાવ રહે છે. ઘરના નોકરો અને તેમની રહેવાની જગ્યા પર પણ શનિનો પ્રભાવ રહે છે.
(૮) રાહુઃ રાહુ નૈઋર્ત્ય દિશા પર પ્રભાવ ધરાવે છે. આ ઉપરાંત તમામ તૂટેલી-ફૂટેલી અને જર્જરિત થયેલી વસ્તુઓ પર પણ રાહુનો પ્રભાવ રહે છે. દીવાલ કે બારીબારણાં પરના ધાબા કે તિરાડ પણ રાહુનું પ્રતિનિધિત્વ છે. કચરો કે બિનઉપયોગી વસ્તુઓનો તેનો ઢગલો તેમજ અવાવરું જગ્યા પર પણ રાહુનો પ્રભાવ રહે છે. કબ્રસ્તાન અને સ્મશાનની જગ્યા પર પણ રાહુનો પ્રભાવ રહે છે. આ ઉપરાંત સિનેમા થિયેટરની જગ્યા, ઘરના ટીવીસેટ પર પણ રાહુનો પ્રભાવ રહેલ છે. ઈશાન ખૂણામાં ક્યારેય ટીવી ન રાખવું.
(૯) કેતુઃ કેતુ એ મોક્ષનો કારક છે અને ઈશાન પર પ્રભાવ ધરાવે છે. આ ઉપરાંત સાંકડી ગલી, ગટર, ગંદા પાણીનો ખાડો, બાથરૃમ, કીડી-મકોડાના દર, સૂકા ઘાસનો ઢગલો વગેરે પર કેતુનો પ્રભાવ જોવા મળે છે.હવે આપણે જુદા જુદા ગ્રહોના સંયોજનથી કેવી અસરો ઉદ્ભવે છે તે જોઈએ.
(૧) ચંદ્ર + મંગળઃ જો કોઈ મકાનમાં રસોડાની બાજુમાં પાણીનો બોર કે અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકો હોય તો વાસ્તુહોરા પ્રમાણે આવા મકાનમાં રહેતા મકાનમાલિક અને તેના ભાઈઓ વચ્ચે અવિશ્વાસ અને ગેરસમજ પ્રવર્તે છે. આ ઉપરાંત મકાનમાલિકને નોકરી-વ્યવસાય કે અન્ય કારણોસર વારંવાર મુસાફરી કરવી પડે છે અને અવારનવાર ઘરથી દૂર રહેવું પડે છે. મકાનમાલિકની પત્નીને સુખ હોવા છતાં અમુક બાબત માનસિક અસંતોષ કે કંઈક ખૂટતું હોય તેવી ભાવના રહ્યા કરે છે.
(૨) બુધ + ગુરુઃ જો કોઈ મકાનમાં મેઈન હોલ પ્રમાણમાં મોટો, સુશોભિત અને હવાઉજાસવાળો હોય અને પૂજારૃમનું બારણું બેઠકરૃમમાં ખૂલતું હોય અથવા તો બેઠકરૃમમાં જ પૂજાસ્થાન હોય તો આવા મકાનના માલિક આર્થિક રીતે સુખી અને ઘણા બુદ્ધિશાળી હોય છે. તે પોતાના મિત્રો અને જમીન-સ્થાવર મિલકતમાંથી સારો લાભ પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત મકાનમાલિકનો એકાદ પુત્ર કે પુત્રી અથવા તો કુટુંબનો એકાદ સભ્ય ખૂબ જ હોશિયાર હોય છે અને કુટુંબનું નામ ઉજાળે છે.
આ ઉપરાંત આવા મકાનના માલિક કે મુખ્ય વ્યક્તિ ખૂબ જ શાંત, ધીરગંભીર, બુદ્ધિશાળી અને હંમેશાં સારું વર્તન કરનાર હોય છે. તેમને જીવનમાં સારા મિત્રો મળી રહે છે. જે મિત્રો તેને એક કે બીજી રીતે ઉપયોગી થતા રહે છે. બુધ એ બેઠકરૃમ અને ગુરુ એ પૂજારૃમ અથવા પૂજાસ્થાન પર પ્રભાવ ધરાવતા હોઈ બંનેની સંયુક્ત અસરને કારણે આવાં પરિણામ ઉદ્ભવે છે.
જો મેઈન હોલ પર બુધ અને રાહુની સંયુક્ત અસર હોય તો ઉપર દર્શાવેલ પરિણામથી વિપરીત પરિણામ મળતું જોવાય છે. જેમ કે મેઈન હોલમાં તૂટેલો કાચ કે અન્ય તૂટેલી ર્મૂિત વગેરે હોય, હોલની દીવાલો પર મોટી તિરાડ કે ધાબા હોય, દીવાલોની અવસ્થા જર્જરીત હોય, હોલમાં ભય ઉત્પન્ન કરે તેવા બિભત્સ ચિત્રો હોય વગેરે જેવી સ્થિતિ હોય તો ઘરમાલિક કે ઘરનો એકાદ સભ્ય અપ્રામાણિક વ્યવસાય સાથે સંકળાયેલ હોય છે.
આવી જ રીતે ગુરુ + ચંદ્ર, શુક્ર + ચંદ્ર, રાહુ + મંગળ, મંગળ + શનિ, ગુરુ+ મંગળ, શનિ+ ગુરુ, શનિ+ રાહુ ઘણા બધા યોગ વાસ્તુહોરામાં જોવા મળે છે. તેનાં પરિણામ અલગ-અલગ મળતા હોય છે. જો વાસ્તુહોરાને સમજી લઈએ તો ઘરની અંદર કે ફેક્ટરી, શો-રૃમ વગેરે જગ્યાએ ગ્રહોના માધ્યમ અને દિશાના અધિપતિ દ્વારા ખરાબ રચનાથી બચી જવાશે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ મળતાં રહેશે.
Ref:
Leave a comment